બાળ-આનંદયાત્રા
(૦૧/૧૧/૨૩ થી ૧૫/૧૧/૨૩)
ગિજુભાઈ બધેકાની ૧૩૮મી જન્મજયંતી (૧૫ નવેમ્બર)નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ગિજુભાઈ બધેકા ચેર દ્વારા પખવાડિક ઉજવણીના ભાગરૂપે બાળ-આનંદયાત્રાનું આયોજન છે. આપને રોજ મળનાર (૧૫ દિવસ સુધી) PDF ફાઈલમાં બાળગીત, બાળવાર્તા, પ્રવૃત્તિ, રમત અને એક સંદેશ એમ પાંચ વિભાગ છે. એના પર ક્લિક કરવાથી મોબાઈલ કે લેપટોપ જેવા માધ્યમથી આપ ઇચ્છિત વિષયવસ્તુને નિહાળી શકશો. ગુજરાતનાં વધુમાં વધુ બાળકો સુધી આ આનંદયાત્રા પહોંચે તે માટે સૌનો સહિયારો પ્રયત્ન જરૂરી છે. આપની આસપાસનાં ચૌદ વર્ષ સુધીનાં બાળકોને, તેમનાં માતા-પિતા કે શિક્ષકોને આ ફાઈલ પહોંચાડી શકાય એવો એક પ્રયાસ કરવા નમ્ર અપીલ છે. ગુજરાતના ગૌરવ સમા વ્યક્તિ કે જેમનું શિક્ષણચિંતન આજે એક સદી પછી પણ પ્રસ્તુત છે. એવા બાળકોના વકીલ, બાળસાહિત્યના બ્રહ્મા અને બાળકોની પ્રિય ' મુછાળી મા' ને આ રીતે શ્રદ્ધાસુમન અર્પણ કરી બાળકોના હક માટે તેમણે આદરેલા આમરણાંત પ્રયત્નોનું ઋણ અદા કરીએ...!
ડૉ. ટી.એસ.જોશી
ગિજુભાઈ બધેકા ચેર
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર