આજે તારીખ 25-12-2022નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો લગ્ન ઈચ્છુક યુવક- યુવતિઓ,વિધવા,ત્યક્તા,વિધુર માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો. જે આ વર્ષનો ત્રીજો જીવનસાથી પસંદગી મેળો હતો. જેમના આયોજકો અશોકભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા દર વર્ષે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહદ્ અંશે સફળતા પણ મળી છે. આજે યોજાયેલા જીવનસાથી પસંદગી મેળામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમટ્યા હતા. જેમાં ડોકટર, શિક્ષક, ઈજનેર, મેડિકલ વિભાગમાં નોકરી કરતા, અભ્યાસ પૂર્ણ કરેલ, સેલ્ફ વ્યવસાય ઉમેદવાર, ખેત વ્યાવસાયિક,જેવા અલગ અલગ ફિલ્ડનાં યુવક યુવતીઓએ હાજર રહ્યા હતાં. જેમનું *વહટાળિયો વેબસાઈટ* https://vahtaliyo.com/ વેબ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હતું, અને તે ઉપરાંત આજે જ હાજર રહેલ યુવક યુવતીઓએ પોતાના બાયોડેટા ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેઓએ પ્રથમ જાહેર મંચ પરથી પરિચય આપ્યો હતો. અને ત્યાર બાદ જેના બાયોડેટા મેચ થયા બાદ તેઓએ એકબીજા સાથે મુલાકાત કરી પોતપોતાના વિચારોની આપ- લે કરી હતી.
આ કાર્યક્રમમાં સમગ્ર આદીવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગરાસિયા, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજના મંત્રી શ્રી નટુભાઈ પટેલ, જીવનસાથી પસંદગી મેળાનાં આયોજક શ્રી અશોકભાઈ પટેલ અને ઠાકોરભાઈ પટેલ તેમજ તેમનું ગૃપ હાજર રહ્યું હતું.