શ્રી એમ.પી.ચૌધરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિ. નવસારી તેઓ તારીખ ૩૦-૦૯-૨૦૨૨નાં રોજ વયનિવૃત્ત થયેલ હોય તેમનો વિદાય સન્માન સમારોહ ખેરગામ તાલુકા ઘટક શિક્ષક સંઘ અને તાલુકાના તમામ શિક્ષકો દ્વારા તારીખ ૦૬-૧૦-૨૦૨૨નાં ગુરુવારે ખેરગામ કુમાર શાળા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ખેરગામ તાલુકાનાં સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશ કુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તથા સાથી હોદ્દેદારો, શિક્ષક સંઘના માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રાઠોડ નિવૃત્ત તાલુકા પ્રા.શિક્ષણાધિકારી ચીખલી, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ ઝેડ. પટેલ, માજી તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ હરીશભાઈ નાયક, ખેરગામ બી.આર.સી શ્રી અમ્રતભાઈ પટેલ, ખેરગામ તાલુકાના તમામ સી.આર.સીઓ, કેન્દ્રશિક્ષકો આચાર્યશ્રીઓ, શિક્ષકો જોડાયા હતા.