ઉપરોક્ત અખબારના જણાવ્યા મુજબ જો માહિતી સાચી હોય તો ગુજરાતના તમામ કર્મચારીઓ માટે ખુશીનાં સમાચાર છે. ઘણા સમયથી ગુજરાતનાં તમામ કર્મચારીઓની માંગ હતી જ કે તેમની જૂની પેન્શન યોજના અમલ કરવામાં આવે. હાલમાં પ્રગટ થયેલા અખબારી અહેવાલ મુજબ આ ન્યુઝમાં જો તથ્ય હોય તો રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ મોદી સરકારની આ પહેલને આવકારે છે. અને તેની સીધી અસર આવનારી લોકસભાની ચૂંટણી પર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.